મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.

SB KHERGAM
0 minute read
0

         

 મોટાપોંઢાની કોલેજમાં સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયુ.

કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર મણીલાલ હ.પટેલનું વકતવ્ય યોજાયું હતું. ઈન્ચાર્જ આચાર્ય ડો. એસ.યુ. પટેલના અધ્યક્ષપણા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં મણીલાલ હ.પટેલે ગુજરાતી સાહિત્ય જગતનો વિશિષ્ટ પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓનું વિદ્યા તેજ વધુ વિસ્તરે અને અધ્યાપકોનું અધ્યયન વધે એવું વિદ્રતાસભર વકતવ્ય ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ પરિવારે મન ભરીને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. આશાબેન ગોહિલે કર્યું હતું. 



સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૦ સપ્ટેમ્બર

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top