ખેરગામ રામજી મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી.

SB KHERGAM
0

      


ખેરગામ રામજી મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી.

તારીખ : ૧૯-૧૧-૨૦૨૩નાં દિને ખેરગામ રામજી મંદિર ખાતે જલારામ જયંતીની ૨૨૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.
જેમાં સૌ પ્રથમ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સમૂહ સત્યનારાયણની પૂજા કરવામાં આવી હતી.
જેમાં ખેરગામના આજુબાજુના ગામનાં ભાવિક ભકતોનો ઘસારો રહ્યો હતો. આ ઉજવણી નિમિત્તે મહાપ્રસાદનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ  લઇ સંતુષ્ટ થયા હતા. આ કાર્યક્રમમાં કામદાર નેતા આર.સી પટેલ ઉપસ્થિત રહી આરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

અહીં રામજી મંદિર  ખાતે ૩૧ વર્ષથી દર ગુરુવારે અન્નદાન સેવા અવિરત પણે ચાલે છે. 

આ કાર્યક્રમના આયોજકો પ્રકાશભાઈ અલ્પેશભાઈ સહિત યુવાનોએ સુંદર આયોજન કર્યું હતું. જેમાં ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ પટેલ અને અંકિતભાઈ આહિર સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top